Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

મોરારીબાપુએ એસટી બસમાં કરી મુસાફરી :બાપુ કાર થોભાવી બસમાં ચડી ગયા

ટાંસાથી ભાવનગર સુધી મુસાફરી માટે 24 રૂપિયાની ટિકિટ કપાવી :મુસાફરે કરેલા સીતારામના પડકારને બાપુએ સીતારામ કહી વધાવ્યો

 

જાણીતા કથાકાર મોરારીબાપૂએ ટાંસાથી ભાવનગર સુધી એસટી બસની મુસાફરી કરી હતી  મોરારી બાપૂ જેની કથા હવે જોર્ડન ખાતે છે. જે કથામાં જવા માટે મોરારીબાપૂ તલગાજરડાથી પોતાની કારમાં નીકળ્યા હતા.

 જો કે અચાનક બાપૂને એસટી બસના સામાન્ય મુસાફરો સાથે મુસાફરી કરવાનું મન થતા બાપૂએ પોતાની કાર થોભાવીને ટાંસાથી ભાવનગરનું 33 કિલોમીટરનું અંતર એસટી બસમાં ખેડ્યું. બાપુએ ટાંસાથી ભાવનગર સુધીની મુસાફરી માટે 24 રૂપિયાની એસટી બસની ટિકિટ ખરીદી હતી.

  જો કે મોરારી બાપૂને પોતાની સાથે મુસાફરી કરતા જોઇને લોકોમાં કુતુહલ જોવા મળ્યુ હતું. લોકોએ પોતાના મોબાઇલ કેમેરાથી બાપુનો વીડિયો બનાવ્યો હતો. જેમાં બાપુએ એક મુસાફરે કરેલા બાપુ સીતારામના પડકારાને સીતારામ કહીને વધાવ્યો હતો.

(11:48 pm IST)