Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

હડમતીયા ગામ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી નિર્મલ દાવેરાનો આપઘાત

માનસીક બીમારીના કારણે આહીર યુવાને પગલુ ભર્યાનું ખુલ્યુ

રાજકોટ તા.૨૩: કુવાડવા નજીક હડમતીયા ગામ પાસે માનસીક બીમારીથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ હડમતીયા ગામ પાસે એક અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાયો હોવાની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ રાયધનભાઇ સહિતે સ્થળપર પહોંચી ગયા હતા.

યુવાનની ઓળખ મેળવવા માટે તપાસ કરતા આ યુવાન હડમતીયા ગામમાં રહેતો.

નિર્મલ રામભાઇ દાવેરા (ઉ.વ.૨૭) હોવાનું ખુલ્યુ હતુ. મૃતક નિર્મલ બેભાઇમાં મોટો હતો. માનસીક બીમારીના લીધે તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ હતુ. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર.પી.મેઘવાળે તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)