Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા બે દિવસ ભાવનગર જિલ્લાના પ્રવાસ

ભાવનગર, તા.૨૩: કેન્દ્રીય શીપીંગ (સ્વતંત્ર પ્રભાર), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયા તા.૨૩,૨૪,૨૫  ભાવનગર અને પાલીતાણાના પ્રવાસે આવનાર છે. ભાવનગર ખાતે 'જન્માષ્ટમી લોકમેળા'ના ઉદ્દદ્યાટન પ્રસંગે ઉપસ્થિતિ રહેશે તથા પાલીતાણા ખાતે 'જન્માષ્ટમી શોભાયાત્રા'નું પ્રસ્થાન કરાવશે અને વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

તા.૨૩ રાત્રે ૯: કલાકે ગુજરાત રાજય યુવા અને સાંસ્કૃતિક વિભાગ, સંગીત નાટ્ય અકાદમી અને ધારાસભ્યશ્રી વિભાવરીબેન દવે દ્વારા પ્રેરિત, 'જન્માષ્ટમી લોકમેળો' ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિતિ રહેશે.ઙ્ગ

તા.૨૪ સવારે ૮:૩૦ કલાકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજીત ૨૧મી 'જન્માષ્ટમી' શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે, બપોરે ૧:૦૦ વાગ્યે સાંસદ આદર્શ ગામ સોનપરી નં.૧ ખાતે સી.સી.રોડ અને અન્ડરગ્રાઉન્ડ ગટરના કામનું લોકાર્પણ કરશે. બપોરે ૩:૦૦ વાગ્યે લાપાળીયા ગામે શ્નશ્રીમદ્દ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહેશે, બપોરે ૪ૅં૦૦ વાગ્યે વડાળ અને પાંડેરિયા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ, સાંજે ૫ૅં૦૦ વાગ્યે શ્નઠાકર દુવારોલૃવાણીયાવીડી પ્રાકૃતિક ધામ ખાતે દર્શનાર્થે જશે.ઙ્ગ

તા.૨૫ સવારે ૯:૦૦ વાગ્યે સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ આર્ટસનો 'સત્ર આરંભ' અંકુર વિદ્યાલય પાલીતાણા ખાતે કરાવશે અને યુવાઓ સાથે વાર્તાલાપ કરશે, સવારે ૧૦:૦ વાગ્યે પાલીતાણા નગરપાલિકા વિસ્તારમાં પી.એન.આર. સોસાયટી, અંધશાળા જવાના રસ્તે, શ્રધ્ધા સ્ટીલ પાસે આર.સી.સી. રોડનું ખાતમુહુર્ત કરશે, સવારે ૧૦:૩૦ વાગ્યે યોગેશ્વર સોસાયટી, ગારીયાધાર રોડ ખાતે 'સાંસદનિધિ'માંથી ફાળવેલ 'આંબેડકર ભવન હોલ'નું લોકાર્પણ કરશે. ૧૧:૦૦ વાગ્યે પાલીતાણા ભાજપ કાર્યાલય ખાતે 'મન કી બાત'કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧:૩૦ વાગ્યે હણોલ ગામે અને બપોરે ૨:૦૦ વાગ્યે સમઢીયાળા(મુલાણી) ગામે 'નર્મદા નીરના વધામણા' કરશે.

(11:29 am IST)