Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જુનાગઢમાં પૂ.ભાઇશ્રીને ડોકટરેટની માનદ ડીગ્રીઃ સંતો દ્વારા સન્માન

જુનાગઢ : કૃષિ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રીય સંત અને પ્રખર ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાને રૂપાણીના હસ્તે ડોકટરેટની માનદ ડીગ્રી એનાયત થતા સાધુ સંતોમાં આનંદ લાગણી વ્યકત કરી પૂ.ભાઇશ્રીનું સન્માન કરવામાં આવેલ ઉપરોકત તસ્વીરમાં બિલનાથ રોડ જુનાગઢ ખાતે આવેલ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરતા અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદજીબાપુ તથા પૂ. શેરનાથબાપુ અન પૂ. વિજયબાપુ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:00 pm IST)