Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મોરબીના રફાળેશ્વર ગામમાં કૌટુંબિક સગાઓ વચ્ચે મારામારીઃ ૭ને ઇજા

મોરબીઃ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામે ગઇકાલે સાંજે સામસામી મારામારીનો બનાવ બન્‍યો હતો જેમાં સાતેક લોકોને ઇજાઓ થતા સારવારમાં લઇ જવાયા જે પૈકીના બેને રાજકોટ લઇ જવાયા છે.

મોરબીના રફાળેશ્વર ગામે થયેલ મારામારીના બનાવમાં દિલીપ અમરશી જાદવ, શાંતાબેન અમરશીભાઇ જાદવ, દીપ દિલીપ જાદવ, મંજુલાબેન વિપુલ ચાવડા, વનીતાબેન દેવજી ચાવડા, ચંપાબેન દેવજી ચાવડા અને સાગર દેવજી ચાવડાને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેઓને સારવારમાં મોરબી હોસ્‍પિટલ લઇ જવાયા હતા જ્‍યાંથી વધુ સારવાર અર્થે વનીતાબેન પ્રવીણભાઇ જાદવ તથા સાગર દેવજી ચાવડાને રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે બંને પક્ષો કૌટુંબિક સગા થાય છે અને પારિવારિક ઝઘડાના બનાવના લીધે આ મારામારીની ઘટના બનેલી છે. જો કે તમામને નજીવી ઇજાઓ થયેલ છે.

(5:32 pm IST)