Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ધ્રોલની મુંગરા કન્યા વિદ્યાલયમાં આચાર્યાનો સત્કાર સમારંભ

 ધ્રોલ : શ્રીમતી ડી.એચ.કે.મુંગરા કન્યા વિદ્યાલય ધ્રોલમાં કાયમી આચાર્ય તરીકે પસંદગી પામેલ ડો.પ્રવિણાબેન જમનાદાસ તારપરાના સત્કાર સમારંભમાં સંસ્થાના ઉપપ્રમુખ તથા કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડો.વિજયભાઇ સોજીત્રા, જિ.પં. જામનગરના સદસ્ય જયેન્દ્રભાઇ મુંગરા તથા સંસ્થાના સંચાલક વિજયભાઇ મુંગરા, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસીકભાઇ ભંડેરી તથા ગાર્ડી કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ તથા શાળાના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. ઉષાબેન ભીમાણીના સ્વાગત પ્રવચન બાદ વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત નૃત્ય તથા સોલો ડાન્સ રજૂ કર્યો હતો. મહેમાનોનું સ્વાગત કરાયા બાદ નવનિયુકત આચાર્યશ્રીનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરાયુ. ઇન્ચાર્જ આચાર્યા વનીતાબેનની વર્ષોની સંનિષ્ઠ કામગીરી બદલ તેમનુ શાલ ઓઢાડી સન્માન કરાયુ. રસીકભાઇ ભંડેરી તથા ડો.પ્રવિણાબેન તારપરાના પ્રાસંગીક ઉદબોધન બાદ અધ્યક્ષશ્રીએ સંસ્થાનો પરિચય તથા સંસ્થાની ઉજજવળ કારકિર્દી માટે શુભકામના પાઠવી. સંસ્થાના પ્રમુખશ્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલે પણ સંદેશાત્મક શુભકામના પાઠવેલ. આભારવિધિ વનીતાબેન મુંગરાએ અને સંચાલન મમતાબેન અજુડીયાએ કર્યુ હતુ. (તસ્વીર - અહેવાલ : હસમુખરાય કંસારા,ધ્રોલ)

(12:18 pm IST)