Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વાંકાનેરના મહાવીરનગરમાં અકસ્માતમાં ઘવાયેલા ધર્મદીપસિંહનું રાજકોટમાં મોત

પંદર દિવસ પહેલા બાઇક આડે રોઝડુ ઉતરતા અકસ્માત થયો'તો

રાજકોટ તા.૨૩: વાંકાનેરના મહાવીરનગરપાસે પંદર દિવસ પહેલા બાઇક આડે રોઝડુ ઉતરતા અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.

મળતી વિગત મુજબ વાંકાનેરના આરોગ્યનગર-૪માં રહેતા ધર્મદીપસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.૨૪) ગત તા.૫/૭ના રોઝ પોતાનું બાઇક લઇને પોતાના ઘરે જતા હતા. ત્યારે વાંકાનેર નજીક મહાવીરનગર પાસે રોઝડુ આડુ ઉતરતા અકસ્માત સર્જાતા ધર્મદિપસિંહને માથાના ભાગે ઇજા થઇ હતી. બાદ તેને સારવાર માટે પ્રથમ વાંકાનેરબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ અંગે માલવીઘાનગર પોલીસ મથકના હેડ કોન્સ રવીરાજસિંહ કાર્યવાહી કરી હતી.

(11:44 am IST)