Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

નવનિયુકત રાજયપાલ ડો. આચાર્ય દેવવ્રતજી ર૭મીએ ટંકારા મહર્ષિ દયાનંદજી જન્મ સ્થળની મુલાકાતે

ટંકારા, તા. ર૭ : ગુજરાતના નવા વરાયેલ રાજયપાલ શ્રી ડો. આચાર્ય દેવવ્રતજી તા. ર૭ના રોજ આર્ય સમાજના સ્થાપક મહાન ક્રાંતીવીર શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિની મુલાકાતે પધારશે.

શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ-ટંકારા આર્ય સમાજ ટંકારા-ટંકારાના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરશે.

આ પ્રસંગે ગુજરાત, સૌરાષ્ટ્રના આર્ય સમાજના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આચાર્ય રામદેવજી વ્યવસ્થાપક રમેશભાઇ મહેતા, ટ્રસ્ટીશ્રી હસમુખભાઇ પરમાર દ્વારા સ્વાગત માટે તૈયારી કરાય છે.

(11:36 am IST)