Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મોરબીમાં બે મકાનોમાં તસ્કરો ત્રાટકયાઃ સોનાના દાગીનાની ચોરી

પરિવાર અગાસી પર સૂતો'તોને તસ્કરો ઘર સાફ કરી ગયા

તસ્વીરમાં જયાં ચોરી થઇ તે મકાનમાં વિરવિખેર સામાન નજરે પડે છે.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી, તા.૨૩:મોરબી પંથકમાં શિયાળાની ઋતુ હોય કે પછી ચોમાસું તસ્કર ટોળકીઓ દરેક મોસમનો લાભ લઈને કલા કરતી હોય છે મોરબીના રાજપર રોડ પર આવેલી એક સોસાયટીમાં બે મકાનના તાળા તોડી ફરીથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.

મોરબીના શનાળા ગામ નજીક આવેલ રાજપર રોડ પરની ધર્મનગર સોસાયટીના રહેવાસી નયનભાઈ પટેલના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં યુવાન તેની માતા સાથે ઉપરના માળે સુતા હોય અને નીચે તાળું મારેલું હોય જયાં રાત્રીના તસ્કરોએ પ્રવેશ કરીને દ્યરમાંથી સોનાનો ચેન, સોનાનો પેન્ડલ સેટ મળી ૨-૩ તોલા સોનાના દાગીના ચોરી ગયા છે તો આ જ સોસાયટીમાં થોડે દુર આવેલ અન્ય મકાનને પણ નિશાન બનાવ્યાની માહિતી મળી છે પોલીસને ચોરીની જાણ થતા ટીમ દોડી ગઈ હતી અને રાબેતા મુજબ તપાસ ચલાવી છે પરંતુ વધુ એક ચોરીથી ભયનો માહોલ છવાયો છે અને તસ્કર ટોળકી પોલીસને હાથ લાગે છે કે નહિ તે જોવાનું રહ્યું.(૨૨.૬)

(3:53 pm IST)