Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જામજોધપુરના સોનવડિયામાં સગીર પુત્રી ઉપર ૬ વર્ષથી દુષ્કર્મ આચરનાર પિતા હાથવેંતમાં

જામજોધપુર, તા. ર૩ :  તાલુકાના સોનવડિયા ગામે સગીરાનું અપહરણ થયાની પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ હતી જેમના આધારે તપાસ દરમ્યાન જામનગરમાંથી દતક લેવાયેલ પરિવારને ત્યાંથી આ સગીરા મળી આવી હતી સગીરાની પુછપરછ દરમ્યાન સગીરાના પાલક પિતા છેલ્લા છએક વરસથી પોતાની સાથે દુષ્કર્મ આચરતા હોવાનું જણાવતા પોલીસે પાલક પિતા સામે દુષ્કર્મ સહિત ગુનો રજીસ્ટ્રર કરેલ છે. આ બનાવની વિગત પ્રમાણે દસેક વર્ષ પહેલા સગીરા ત્રણેક વરસની હતી તયારે તેણીના પિતા મૃત્યુ પામેલ હતા જેથી સગીરાની માતા કૌટુંબીક માસીને ત્યાં આવી હતી. જેમ માસીના કહેવાથી સોનવડિયા ગામના ભીમા નૈપા રબારી સાથે લગ્ન કર્યા હતા. માસીના પડોશમાં રહેતા જમનાબેનને સંતાન ન હોવાથી સગીરાને જમનાબેને દત્તક લીધી હતી. જમનાબેનના પતિ સામે ન ભળતા છુટાછેટા લેવાના હતા જેથી સગીરાને તેણીના જન્મદાતા માતાને પરત સોંપી હતી સગીરા જામજોધપુર તેણીના માતા અને પાલક પિતા ભીમા સાથે જ રહેતી હતી જે દરમ્યાન ભીમાભાઇની નજર આ સગીરા પર બગડતા છેલ્લા છએક વરસથી જુદા જુદા સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું જેથી આ સગીરા પાલક પિતાના ત્રાસથી કંટાળી ગઇ હતી તે દરમ્યાન તેમને એક માસ પહેલા થોડુ ઘણું યાદ હતું કે તે જામનગર  રહેતી હતી ત્યાં ઘરે આવી જાય તેની નાશી છુટતા સગીરાની માતાએ અપહરણ થયાની પોલીસ ફરીયાદ નોંધાવી. સગીર ઘરેથી નીકળી જામનગર જમનાબહેનને ત્યાં પહોંચી રોકાઇ હતી અને પિતાના અત્યાચાર અંગે વાત કરી હતી જે દરમ્યાન જમનાબેનના પતિ સામે જામજોધપુર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધી હતી. પિતા સામે ફરીયાદ નોંધાઇ બાદ સગીરાને તબીબી પરીક્ષણ માટે મોકલાઇ હતી જયારે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આરોપી હાથવેંતમાં હોય આગામી થોડા જ સમયમાં પકડાઇ જશે.

(12:28 pm IST)