Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જામવાડી પાસે વાહન અકસ્માતમાં થાનના છાત્ર આશીષ સોલંકીનું મોત

વણકર યુવાન રાજકોટ મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો'તોઃ યુવાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

વઢવાણ તા.૨૩: થાનગઢ ગામનો યુવાન-રાજકોટ સિવિલમાંથી થાનગઢ

અકસ્માતમાં બુકડો બોલેલી કાર અને  યુવાનનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ ફારૂક ચૌહાણ વઢવાણ)(૭.૧૪)પરત ફરતા સમયે જામવાડીના પાટિયા પાસે અજાણ્યા વાહનના ચાલકે કાર સાથે અકસ્માત સર્જતા ઘાયલ અવસ્થામાં યુવાનને રાજકોટ સારવાર માટે ગત રાત્રીનાજ ખસેડવામાં આવ્યો જયા સારવાર મળે તે પહેલાજ યુવાનનુ મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઇ જવા પામેલ છે આ બનાવમાં થાનગઢ ગામે પોલીસમાં નિમીષ પરમારે જાણકારી આપેલ હોવાનુ જાણવા મળેલ છે ત્યારે થાનગઢ ગામે રહેતા આશિષભાઇ મુકેશભાઇ સોલંકી (ઉ.વ.૨૦) રાત્રીના સમયે રાજકોટ સિવિલમાંથી-થાનગઢ ગામે  પરત આવતા હતા. ત્યારે જામવાડી ગામના પાટીયા પાસે કોઇ અજાણ્યા વાહનના ચાલકે આશિષ મુકેશભાઇ સોલંકીની કાર સાથે ધડાકા ભેર અથડાતા સારવાર માટે ખસેડાયો હતો. જયા  સારવાર દરમ્યાન આશિષભાઇ સોલંકીનું મોત નિપજ્યુ હતું.

મૃતક યુવાન રાજકોટ મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યુ છે.

(12:27 pm IST)