Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગોંડલના શ્રીનાથગઢમાં વરસાદ થતા શ્વાનોને લાડુનું વિતરણ

 શ્રીનાથગઢ તા.૨૩ : અહીના યુવાનોએ ધર્મકાર્યમાં મોખરે છે. શ્રીનાથગઢ પંથકમાં મેઘરાજા મનમુકીને વરસતા યુવાનોએ શ્વાનોને લાડુનું વિતરણ કરાયુ હતુ.

જેમાં મુખ્ય હરેશભાઇ જોધાણી, ગોપાલભાઇ સોરઠીયા, ભુપતભાઇ કાનપરીયા, જેઠાભાઇ રાદડીયા લાડુ બનાવવાના કારીગર મનસુખભાઇ વાડોદરીયા, વલ્લભભાઇ ભુવા, કાંતીભાઇ ભાલાળા તથા મુખ્ય એવા રમણીકભાઇ કાનપરીયા વગેરેના જહેમતથી આયોજન કરવામાં આવેલ હતુ.

આશરે ૮ થી ૧૦ મણ લાડુ બનાવી શ્વાનોને વિતરણ કરાયુ હતુ. લાડુના કારીગર વિજયભાઇ રાણપરીયા તથા વિઠ્ઠલભાઇ પટોળીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

(12:12 pm IST)