Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ભુજમાં ૧૨ માં ધોરણની વિદ્યાર્થિનીનો આપઘાત

અમદાવાદ કોલેજ પ્રવેશ માટે જઈ આવ્યા બાદ ઘેર ફાંસો ખાધો: બે વર્ષ પૂર્વે પિતાનું કેન્સરની બીમારીથી મોત નિપજ્યું હતું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩

 ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતી ૧૮ વર્ષીય વિદ્યાર્થિની યશ્વી ધર્મેન્દ્ર વ્યાસે પોતાને ઘેર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ૧૨ મુ ધોરણ પાસ કર્યા બાદ યશ્વિ વધુ અભ્યાસ માટે અમદાવાદ જવાની હતી. પરિણામ બાદ પ્રવેશ માટે યશ્વી અમદાવાદ જઇ આવી હતી. પરંતુ અમદાવાદ થી પરત રાત્રે ભુજ આવ્યા બાદ એકાએક તેણીએ પોતાને ઘેર રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો. એ સમયે યશ્વીના માતા અને મામી ઘેર હતા પણ બીજા રૂમમાં હોઈ તેમણે સવારે યશ્વી ને ઉઠાડવા દરવાજો ખોલ્યો હતો પણ ખુલ્યો નહોતો. જેમતેમ કરી રૂમ ખોલતા અંદર યશ્વી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. યશ્વી ના પિતાનું બે વર્ષ પૂર્વે કેન્સર ની બીમારીથી મૃત્યુ થયું હતું. ભુજ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(9:45 am IST)