Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મોરબીના રણછોડનગરમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના રણછોડનગરમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના રણછોડનગર વિસ્તારના રહેવાસી યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના રણછોડનગર સાંઈબાબા મંદિર નજીક રહેતા મનસુખભાઈ પ્રેમજીભાઈ ઉધરેજા (ઉ.વ.૩૫) નામના કોળી યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બન્વની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે

(12:45 am IST)