Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

લાઠી બાબરાના આગેવાનોની ઉપસ્થિતિમાં બાબરામાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પૂણ્યતિથી અને બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા. ર૩ :  બાબરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે બાબરા લાઠી ૯૬ વિધાનસભા બેઠક ના આગેવાન અને અમરેલી જિલ્લા સાંસદ નારણભાઇ કાછડીયા પુર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉધાડ ભરતભાઇ ગોધાણી ની ઉપસ્થિતિ માં ભારતીય જનસંઘ ના સ્થાપક અધ્યક્ષ અને કાશ્મીર ની લડત માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પ્રખર રાષ્ટ્રીભકત ડૉ, શ્યામાપ્રસાદ મુખર્જી ની પુણ્યતિથી નિમિત્તે એમણે પુષ્પાંજલિ અર્પણ કરવા માટે બાબરા ખાતે ભારતીય જનતા પાર્ટીના ના હોદ્દેદારો આગેવાનો ની ઉપસ્થિતમા બેઠક યોજાઇ હતી બલિદાન દિવસ નિમિતિ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભારતીય જનતા પાર્ટી માટે આપેલા યોગદાન અંગે ચર્ચાઓ કરી તેવો અંગે સાંસદ નારણભાઇ કાછડીયા પુર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉધાડ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી અંગે ભારતીય જનસંઘ થી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના અંગે માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જીલ્લા ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા શહેર ભાજપ ના વરિષ્ઠ આગેવાન બીપીનભાઇ રાદડીયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા નગરપાલિકા ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા નિતિનભાઈ રાઠોડ જીતુભાઇ ડેર જીવાજીભાઇ રાઠોડ,કાકુદાદા ચાવ જગદીશભાઈ નાકરાણી હીંમત ભાઇ દેત્રોજા રાજુભાઈ ભુતીયા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઇ વિરોજા, શહેર ભાજપ ના પ્રભારી ભગીરથ ભાઈ ત્રિવેદી, અલ્તાફભાઇ નથવાણી રંજનબેન ડાભી સહિત આગેવાનો હોદ્દેદારો નગરપાલિકા સભ્યો તાલુકા પંચાયત ના સભ્યો કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહીયા હતા અને શ્યામાપ્રસાદ મુખર્જી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમનુ સંચાલન જીલ્લા ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયાએ કર્યું હતું.

(1:03 pm IST)