Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મોરબીઃ વાંકાનેર પંથકમાં ચાર સ્થળે વિજળી પડી: પીપળીયા ગામે વિજળી પડતા દાઝી ગયેલા બે યુવાનના મોત: મહિકા અને કાસિયાગાળા ગામે વિજળી પડતા એક-એક ભેસનું મોત

મોરબીઃ વાંકાનેર પંથકમાં ચાર સ્થળે વિજળી પડી હતી. પીપળીયા ગામે વિજળી પડતા દાઝી ગયેલા બે યુવાનના મોત થયા છે જેમાં  મૃતકમાં પુષ્પરાજસિંહ જાડેજા (૧૮) અને વિશ્વરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે જયારે  મહિકા અને કાસિયાગાળા ગામે વિજળી પડતા એક-એક ભેસનું મોત થયું છે.

લુણસર ગામ પાસે ગોડાઉન ઉપર વિજળી પડતા આગ લાગી, લોકોમાં નાશભાગ પરિસ્થિતિ કાબુમાં આવી ગઇ છે.

(12:04 am IST)