Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જુનાગઢ સહિત સોરઠમાં વાદળા-ઝંઝાવાતી પવન

હવામાનમાં પલટો યથાવત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૩   : જુનાગઢ સહિત સોરઠમાં આજે પણ વાદળા વચ્‍ચે ઝંઝાવાતી પવન યથાવત રહયો છે.

છેલ્લા ત્રણ દિવસથી જુનાગઢ અને સોરઠનાં હવામાનમાં આવેલો પલટો આજે પણ યથાવત રહયો છે.

સવારથી જુનાગઢમાં ૧૬.પ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો છે. ગિરનાર પર્વત ઉપર ૬પ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા આજે ત્રીજા દિવસે પણ રોપ-વે બંધ રાખવાની ફરજ પડી છે. જો કે કેટલાક યાત્રિકો પવન-આંધીની પરવા કર્યા વગર સીડી ચડીને મા અંબાના દર્શન કરવા પહોંચ્‍યા હતા.

સવારે જુનાગઢનું તાપમાન ર૬.પ ડીગ્રી અને વાતાવરણમાં ભેજ ૭૩ ટકા રહયો હતો.

(1:43 pm IST)