Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વિરપુરમાં પૂ. જલારામબાપા પરિવારના સ્‍વ. હેમલતાબેનની પ્રાર્થના સભામાં શ્રધ્‍ધાંજલી અર્પણ

વિરપુર (જલારામ): સૌરાષ્‍ટ્રનું જગવિખ્‍યાત યાત્રાધામ વિરપુરના સંત શિરોમણી પૂજય જલારામ બાપાના પરિવારના પૂજય રસિકબાપાના ધર્મપત્‍ની હેમલતાબેનનું નિધન તા. ૧૮/પ/રર ને ગુરૂવારના રોજ થયું હતું. જેમની પ્રાર્થના સભા આજરોજ તા. ર૧/પ/રર ને શનિવારે સાંજે પ થી ૭ પૂજય જલારામ બાપાની ધર્મશાળા શ્રી જલારામ અતિથિગૃહ ખાતે યોજાઇ હતી. આ પ્રાર્થના સભામાં વીરપુર તેમજ આસપાસના ગામના લોકો જોડાયા હતા તેમજ જલારામ બાપાના પરિવારજનો, પૂજય જલારામ બાપાની જગ્‍યાના ગાદીપતિ પૂજય રઘુરામબાપા ચાંદ્રાણી પૂજય ભરતભાઇ ચાંદ્રાણી, કીર્તિબેન, શિલાબેન તથા પૂજય રસિકબાપાના દીકરા સંજયભાઇ ચાંદ્રાણી, જનકભાઇ ચાંદ્રાણી, યોગેશભાઇ ચાંદ્રાણી, પૂજય બટુકબાપાના દિકરા વિજયભાઇ ચાંદ્રાણી, હિતેશભાઇ ચાંદ્રાણી સહિત પૂજય જલારામ બાપાના ગુરૂ પૂજય ભોજલરામ બાપાની જગ્‍યાના મહંત પૂજય ભકિતરામ બાપા એ ખાસ હાજરી આપી વૈકુંઠવાસી હેમલતાબેનને શ્રદ્ધાંજલી આપી હતી. (તસ્‍વીરઃ કિશન મોરબીયા-વિરપુર)

(11:10 am IST)