Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જુનાગઢ પી.જી.વી.સી.એલ. કચેરી વહીવટ વિભાગમાં ગેરરીતીના આક્ષેપ

જુનાગઢ તા. ર૩ : પી.જી.વી.સી.એલ કચેરીના વહીવટ વિભાગમાં કંપનીના નિયમોને અવગણી માનીતા કર્મચારીઓને ઇચ્‍છિત જગ્‍યા પર નિમણુંકના ઓર્ડર આપવામાં આવેલા છે. જેનો ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી, મંડળ દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. જો ૭ દિવસમાં આવા બીનકાયદેસર ઓર્ડરો રદ નહી કરવામાં આવે તો ઉગ્ર લડતની ચિમકી અપાઇ છે. વહીવટી વિભાગના અધિકારીઓ દ્વારા નિયમો અગવણીને ઘણી પ્રવૃતિ થાય છે જે અંગે તબકકાવાર લડત શરૂ કરી સંડોવાયેલ અધિકારીઓ સામે પગલા લેવાની ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા માંગણી કરાઇ છે.

(11:09 am IST)