Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

પોરબંદરમાં કોરોના પોઝીટીવ કેસના દર્દીનો બીજીવાર રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

પોરબંદર,તા.૨૩ : રાજીવનગરમાં રહેલા અને મુંબઇથી આવેલ ગોપાલભાઇ કનૈયાલાલ પાંજરીને કોરોનાના પ્રાથમિક લક્ષણ દેખાતા તેમનો રિપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવેલ હતો. તેમને સિવિલ હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાં સારવાર બાદ તેમના વારાફરતી ફરી ર રિપોર્ટ કરાવતા કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાય છે.

કોરોનાના સાજા થયેલ ગોપાલભાઇ કનૈયાલાલ પાંજરીને હોસ્પિટલમાંથી રજા આપી દીધા બાદ તેમને ૧૪ દિવસ હોમ કવોરન્ટાઇન કરવામાં આવશે.

પોરબંદરમાં કોરોનાના બીજા એક પોઝીટીવ કેસમાં અમદાવાદથી બસમાં પોરબંદર આવેલ યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને સિવિલ હોસ્પિટલમાં ઓબર્ઝવેશનમાં રાખેલ છે તેમની તબીયત પણ સુધારા ઉપર છે.

કોરોનાના કેસના સાજા થતા હોસ્પિટલમાં રજા લેતા  ગોપાલભાઇ પાંજરીએ સિવિલ હોસ્પિટલના આર એન.ઓ ડો. ડી.એમ. ઠાકોર, ડો. સોજીત્રા, ડો. મકવાણા, ડો. ધર્મેશ પારેખ, તેમજ ૮ સ્ટાફના નીરાલીબેન ઓડેદરા, તથા શિલાબેન ભાદરકા,  નર્સીગ સ્ટાફના ઇનચાર્જ હેતલબેન ગુંદાણીયા વગેરેનો ઉત્તમ સારવાર માટે આભાર માનેલ હતો.

(12:44 pm IST)