Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

પોરબંદરમાં જૂનથી રેલવે તથા વિમાની સેવા શરૂ થશે

રેલવે ટિકિટનું બુકિંગ શરૂ : વિમાની સેવાનું બુકિંગ ૨૫મીથી શરૂ થશે : ટિકિટ લેવા આવનારે માસ્ક પહેરવું ફરજિયાત

પોરબંદર તા. ૨૩ : આગામી જૂન માસમાં રેલવે અને વિમાન સેવા શરૂ થઇ જશે. ૧લી જૂનથી મુંબઇ સુધીની ટ્રેઇન સેવા તથા ૩૦મી જૂનથી પોરબંદર - મુંબઇ અને પોરબંદર - અમદાવાદ વિમાન સેવા શરૂ થઇ જશે.

પોરબંદરથી આગામી જૂનથી શરૂ થનાર ટ્રેઇનનું બુકિંગ આજથી શરૂ થયું છે. રેલવે બુકિંગ માટેનો રેલવે સ્ટેશનમાં સવારે ૮થી બપોરે ૨ રહેશે. ટિકિટ કેન્સલ કરાવતા કોઇ રીફંડ નહી મળે. બુકીંગ કરાવવા આવનારે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તેમજ મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાની રહેશે.

પોરબંદરથી ૩૦મી જૂનથી શરૂ થનાર વિમાન સેવા માટેનું બુકિંગ તા. ૨૫મીએ શરૂ થશે.

(11:48 am IST)