Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટની એન.આર.દોશી આંખની હોસ્પિટલમાં દર શુક્રવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

વાંકાનેર તા. ર૩ :.. દેવદયા ચેરીટેબલ સંચાલિત એન. આર. દોશી સતત ર૦૦પ થી કાર્યરત ને ૭૦૦૦ થી વધુ ઓપરેશનને બાળકોને આંખની બીમારીનું સફળતા પૂર્વક નેત્રયજ્ઞ વિનામૂલ્ય લાભાર્થીઓએ લાભ લીધેલ છે. દર અઠવાડીએ આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શુક્રવાર તથા શનીવારે ત્રાંસી આંખ તેમજ આંખના રોગોનું ઓપરેશન તેમજ સારવાર કરવામાં આવે છે. ૧પ વર્ષ સુધીના તમામ બાળકોને આ સેવા આપવામાં આવે છે નિષ્ણાત ડોકટર ઓમ પટેલ તથા તેમની ટીમ હોસ્પિટલના સહયોગથી નિસ્વાર્થ આ બધી સેવા આપવામાં આવે છે. આ નેત્રયજ્ઞમાં કોઇ રજીસ્ટ્રેશનની જરૂર નથી બાળ દર્દીઓ હોસ્પિટલ પર ૯ થી ૧ર સુધી કેસ બારી ઉપર આવી પોતાનું નામ નોંધાવી  આ કેમ્પની સેવાને સેવા લઇ શકે છે આ નેત્રયજ્ઞને વેગ આપવા વધુને વધુ જનકલ્યાણ હિતે ટ્રસ્ટ શ્રીઓ દ્વારા હોસ્પિટલનું સરનામું ને તમારી મદદરૂપ તેમના ટેલીફોન નં. નીચે મુજબ આપવા આવે છે. સરનામું એન. આર. દોશી આય હોસ્પિટલ, વાંકાનેર નવા બસ સ્ટેશનની સામે, કુવાડવા, રાજકોટ, રોંદ, જીલ્લા સેવા પહેલા, જિલ્લો મોરબી, વાંકાનેર ફોન નં. હેલ્પલાઇન ૦ર૮ર૮ - રરર૦૮ર૦ સવારે ૯ થી સાંજના ૬ સુધી કોઇપણ માહિતી માટે શ્રી ધવલભાઇ કંસારા ૯૪૦૮૯ ૩૯૯૮ર, શ્રી હરદીપસિંહ ઝાલા મો. ૭૬૦૦૪ ૪૦૦રર તથા બપોરે ૪ પછી શ્રી તેજશભાઇ શાહ આ નેત્રયજ્ઞ નિસ્વાર્થે ભાવે આગળ લઇ જવા આ સર્વે વાંચક નગરજનોને સોસીયલ મીડીયા, વહોટસએપ વગેરે ઉપર પ્રચાર કરી વધુને વધુ લોકોને લાભ આપવો તેવી અપીલ છે.

(12:00 pm IST)