Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

કાલાવડ સરસ્વતી શિશુમંદીરનું ઉજ્જવલ પરીણામ

કાલાવડઃ ગુજરાત બોર્ડનાં જાહેર થયેલા પરિણામમાં ગુજરાત બોર્ડ ૬૬.૯૭ ટકા, જામનગર જીલ્લો ૭૦.૬૧ ટકા તેમજ કાલાવડ કેન્દ્રનું પરિણામ ૭ર.૮૩ ટકા આવેલ હતું. શ્રી સરસ્વતી શિશુમંદિર કાલાવડનું પરિણામ ૧૦૦ ટકા આવેલ હતું. જેમાં ૯૦ પીઆર ઉપર પ૦ વિદ્યાર્થી અને ૯૯ પીઆર ઉપર ર વિદ્યાર્થી ઉતીર્ણ થયા હતા. પ્રથમ ક્રમે હિરપરા બંસી ૯૯.૪પ પીઆર દ્વિતીય ક્રમે પરમાર મોનિકા ૯૯.ર૩ પીઆર, તૃતિય ક્રમે અકબરી જય ૯૮.૭૭ પીઆર સાથે પરિણામ લાવી સંસ્થાનું ગૌરવ વધારેલ છે. તસ્વીર તેજસ્વી વિદ્યાર્થીઓની છે.

(11:59 am IST)