Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

રાજુલા નગરપાલિકાના કાર્યવાહ પ્રમુખપદે ભરતભાઇ સાવલીયાની વરણી

બાબરા તા.ર૩ : રાજુલા ન.પા.ના લાંબા સમયથી અસ્થિર બનેલા શાસનને વ્યવસ્થિત કરવાના પ્રયત્નો રૂપે અને વહીવટના શૂન્યાવકાશને પુરવા અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓડે લોક સુખાકારી માટે ન.પા.માં આદેશ આપીને કાર્યવાહક પ્રમુખપદે ન.પા. સભ્ય અને વરીષ્ઠ આગેવાન ભરતભાઇ સાવલીયાની વરણી કરવામાં આવી છે.

આગામી તા.૪ના રોજ વિધિવત પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે ત્યા સુધી ભરતભાઇ સાવલીયા કલેકટરના આદેશ મુજબ પ્રમુખપદે રહેશે. ઉલ્લેખનીય છે કે, શ્રી સાવલીયા હાલ પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રીપદે છે. આગામી યોજાનાર ચુંટણીમાં પક્ષ ભરતભાઇ સાવલીયાને સતાવાળ જાહેરાત કરે એવા સંજોગો બતાય છે. અમરેલીના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી ધારાસભ્ય અમરીશ ડેર રાજુલના અગ્રણી અને સુરતના કોર્પોરેટર નિલેશભાઇ કુંભાણી બાબુભાઇ રામ પ્રવિણભાઇ બારૈયા જયેશભાઇ ગજેરા, પ્રદિપભાઇ સાકરીયા, બકુલભાઇ પટેલ, હેમલભાઇ વસોયા, ઘનશ્યામભાઇ લાખોત્રા, રાકેશભાઇ ગરણીયા સહિત પાલિકાના સભ્યો જીલ્લા કોંગ્રેસના આગેવાનો રાજુલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવસોમાં ફરી ન.પા.માં વિધિવત કોંગ્રેસનું શાસન આવશે એવુ જાણવા મળ્યુ છે.

(11:52 am IST)