Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા પાસેથી ખંડણી માંગનાર આશિષ જેલ હવાલે

 મોરબી, તા.૨૩: રાજયના માજી મંત્રી અને મોરબીના વતની જયંતિ કવાડિયા પાસેથી ખંડણી માંગનાર મુંબઈના આસી. ડાયરેકટરના ૩ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.

મોરબીના વતની અને રાજયના માજી મંત્રી જયંતિ કવાડિયાને ગેંગસ્ટર રવિ પુજારીના સાગરીતના નામે ફોન કરી ખંડણી માંગનાર આરોપી આશીષકુમાર રામનરેશ શર્મા (ઉ.૨૫)ને પોલિસે દબોચી લઈને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યો હતો અને કોર્ટ દ્વારા આરોપીના ૩ દિવસની રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન બી અને સી ગ્રેડના આસી.ડાયરેકટરે અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. જેમાં તેને અગાઉ કલાકારોને પણ ખંડણી માટે ટાર્ગેટ બનાવ્યા હતા. તેમજ રાજયમંત્રી પરસોતમ સોલંકી સહિત ૫ લોકો પાસેથી ખંડણી ઉદ્યરવાનું કાવતરું રચ્યું હતું. પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી. હાલ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરવામાં આવ્યો છે.

(2:37 pm IST)