Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ભાવનગરમા પાણી પ્રશ્ને ચકકાજામ

 ભાવનગર ના કુંભારવાડા વિસ્તાર માં રોહિત મિલ પાસે છેલ્લા ૧ મહિના થી ગંદા પાણી તથા ગટર નો પ્રશ્ન છે. ભાજપ શાસિત મહાનગર ને અવાર નવાર રજુઆત કરવા છતાં કોઈ પ્રશ્નો નું નિરાકરણ થયેલ ના હોય આ કાળઝાળ ઉનાળામાં રમજાન મહિના ની શરૂઆત થઇ ગઈ હોય એવી સ્થિતિ માં પણ લોકપ્રશ્નો સાંભળવા ને બદલે શાસકો દ્વારા પ્રશ્નો ની કોઈ દરકાર પણ લેવા થઈ ના હોય ત્યારેઆ વિસ્તાર ના લોકો બાળકો મહિલાઓ દ્વારા રોડ ચક્કાજામ નો કાર્યક્રમ કરવા માં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ના મહામંત્રી લાલભા ગોહિલ કુંભારવાડા ના માજી કોર્પોરેટર જેટૂંનબેન જયુભા રાણા અશરફભાઈ વજુભા રાણા ઈમ્તિયાઝભાઈ ઉમરખાન ભાઈ વાસીમભાઈ મુસ્તુભાઈ સલીમભાઈ હરુણભાઈ ધર્મેન્દ્રસિંહ અશોકસિંહ યુવા કોંગ્રેસ ના ઉપ પ્રમુખ કિશનભાઈ મેર તથા યુવા કોંગ્રેસ ના મહામંત્રી હર્ષદીપસિંહ ગોહિલ હાજર રહ્યા હતાં. (૨૩.૯)

(12:02 pm IST)