Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજુલાની પરિણિતા ઉપર સંજય ધાખડાએ દુષ્કર્મ આચર્યુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૩ :.. રાજૂલાના જાફરાબાદ રોડ પર રહેતી પરિણિતાને લોઠપુર ગામની સીમમાં ખાંભા તાલુકાના જીવાપર ગામના સંજય હિંમત ધાખડાએ મરજી વિરૂધ્ધ બળજબરીપૂર્વક અવાર-નવાર શરીર સબંધ બાંધીને બળાત્કાર ગુજારી આ બાબતની જો કોઇને જાણ કરીશ તો સમાજમાં બદનામ કરી પતિ અને દિકરીને મારી નાખવા ધમકી આપ્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આપઘાત

અમરેલી, સાવરકુંડલામાં રહેતા વિશાલ ગોકુળભાઇ કુડેચા ઉ.ર૯ છેલ્લા કેટલાક દિવસથી કામ ધંધો કરતો ન હોય. અને વાડીએ પણ કઇ કામ ન કરાવતા પિતાએ ઠપકો આપેલ. જેથી પોતાને લાગી આવતા હાથસણી ગામની સીમમાં ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું પિતા ગોકુળભાઇ કુડેચાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:46 pm IST)