Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

મોરબીના ભરતનગર નજીક અન્ય વાહન પાછળ કાર ઘુસી જતા એકનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબીના ભરતનગર નજીક અજાણ્યા વાહન પાછળ ફોર્ચ્યુનર કાર ઘુસી જતા કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વીરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૪) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ક્રિપાલસિંહ કૃષ્ણસિંહ જાડેજા ફોર્ચ્યુંનર ગાદી જીજે ૧૨ બીએમ ૯૫૦૪ લઈને ભરતનગર ગામ પાસેથી જતા હોય ત્યારે અજાણ્યા વાહન પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં કારચાલક ક્રિપાલસિંહ જાડેજાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:06 am IST)