Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

જસદણના કાળાસરમાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી

જસદણના કાળાસર ગામે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ૨૦ થી ૫/૫ સુધી શાળાના બાળકો અને સ્ટાફ તેમજ તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા રેલી, સફાઇ અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગામના લોકો ખુલ્લામાં શોૈચક્રિયા ન કરે તેમ માટે માર્ગદર્શન આપવા અને સો ટકા શોૈચાલયનો ઉપયોગ થાય તેમજ કચરો કચરા પેટીમાંજ નાંખવો તે અંગેની જાગૃતિ ફેલાય એ હેતુથી સરપંચશ્રી, તલાટી મંત્રીશ્રી અને શાળાના આચાર્ય, સ્ટાફ તથા તાલુકા વિકાસ અધિકારી અને સ્વચ્છ ભારત મિશન યોજનાના બ્લોક કો-ઓર્ડિનેટર અને સ્ટાફે હાજર રહી ગ્રામજનો અને છાત્રોને સમજ આપી હતી. (૧૪.૮)

(1:26 pm IST)