Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

જેતપુર પાસે ઉઘરાણી પ્રશ્ને આધેડનું અપહરણ કરનાર ૫ શખ્સો પકડાયા

ગણત્રીના કલાકોમાં જ તાલુકાના પી.એસ.આઈ. આર.એચ. જાડેજાની ટીમે અપહૃત આધેડને મુકત કરાવી આરોપીઓને દબોચ્યા

તસ્વીરમાં આધેડના અપહરણમાં પકડાયેલ શખ્સો નજરે પડે છે(તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર)

જેતપુર, તા. ૨૩ :. જેતપુર પાસે ઉઘરાણી પ્રશ્ને આધેડનું અપહરણ કરનાર પાંચ શખ્સોને ગણત્રીના કલાકોમાં જ તાલુકા પોલીસે દબોચી લઈ આધેડને મુકત કરાવ્યા હતાં.

જાણવા મળતી વિગતો અનુસાર મગનભાઈ હરીભાઈ પરમાર (રહે. મુળ પાલનપુર) હાલ બહેરા-મુંગા ગૌશાળા પાસે તેઓ અહીં દેશી દવા વહેચવાનો ધંધો કરતા હોય તેમના પુત્ર અનીલ પાસે રૂપિયાની ઉઘરાણી કરવા આવેલ મહમદ મનહરભાઈ પરમાર (રહે. સિદ્ધપુર) ઘુઘરજા ગાડરજી તલાટ, ગાડરજી ભમુ સલાટ, પીરાજી ગાડરજી સલાટ, જમીનાબેન ગાડરજી સલાટ (રહે. તમામ દીશા)વાળાઓ પોતાની બોલેરો કાર નં. જીજે ૯એ.વી. ૭૧૩૨ વાળીમાં અપહરણ કરી ગયેલ હોય આ અંગેની જાણ તાલુકા પોલીસને કરાતા તાલુકા પીએસઆઈ એચ.એ. જાડેજા, જે.વી. વાઢીયા, ભુરાભાઈ માલીવાડ, દિનેશભાઈ ખાટરીયા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, ભીખુભાઈ ગોહેલએ જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદની સુચના અને માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા ચક્રોગતિમાન કરી ગણત્રીની કલાકોમાં તમામ આરોપીઓને કાર સાથે ઝડપી લઈ અપહૃત મગનભાઈને છોડાવેલ હતા.(૨-૧૨)

(1:25 pm IST)