Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

જામનગરમાં વધુ દારૂ પી જતા મહાવીરસિંહનું મૃત્યુ

જામનગર તા. ૨૩ : અહીં રામેશ્વરનગરમાં રહેતા અર્જુનસિંહ મહાવીરસિંહ ઝાલાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, મહાવીરસિંહ પથુભા ઝાલા ઉ.વ. પપ ને દારૂ પીવાની ટેવ હોય વધુ દારૂ પી જવાથી તેઓ ખુદ હોસ્પિટલમાં દાખલ થયેલ અને સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

એસીડ પી લેતા યુવકનું મૃત્યુ

અહીં રાંદલનગરમાં રહેતા રજેન્દ્રસિંહ મહોબતસિંહ પરમાર ઉ.વ. ૪૧ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, ઘનશ્યામસિંહ મહોબતસિંહ પરમાર ઉ.વ. ૩૭ એ કોઈપણ કારણોસર એસીડ પી લેતા તેમનું મૃત્યુ નિપજેલ છે.(૨૧.૨૩)

(1:23 pm IST)