Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

જેતપુર જેસીઝ દ્વારા સર્વજ્ઞાતિ સમુહલગ્ન

 નવાગઢ : જેતપુર જેસીઝ (જેસીઆઇ) દ્વારા સ્વ. સવજીભાઇ કોરાટના સ્મરણાર્થે સર્વજ્ઞાતિય  સમુહલગ્નોત્સવ માર્ગ પરિવહન અને શિપીંગ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, પૂર્વ મંત્રી જશુબેન કોરાટની ઉપસ્થિતિમાં જેતપુર ખાતે યોજાયો હતો. આ લગ્નોત્સવમાં ૨૫ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. કેન્દ્રીયમંત્રીશ્રી માંડવિયાએ નવદંપતીઓને આર્શિવાદ પાઠવતા જણાવ્યુ હતુ કે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સમાજો દ્વારા યોજના સમુહલગ્નોત્સવ દ્વારા સામાજીક સમરસતા પ્રસ્થાપિત થઇ છે. નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતુ કે, તમામ સમાજના નાનામોટાનો ભેદભાવ મીટાવતા આ સમુહલગ્નોત્સવ દરેક સમાજ માટે આર્શીવાદ રૂપ છે. સ્વ. સવજીભાઇ કોરાટના ધર્મપત્ની અને ભૂતપૂર્વ મંત્રી જશુબેન કોરાટે જણાવેલ કે, મારા પતિદેવના સ્મરણાર્થે સામાજીક કાર્ય કરી અમોને દરેક સમાજે હુંફ અને પોતીકાપણું આપ્યું છે. જીથુડી હનુમાનજી મંદિરના પૂ. રામરૂપદાસજી બાપુએ સમુહલગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને નવદંપતીઓને આર્શીવચન પાઠવ્યા હતા. સમુહ લગ્નસમારંભની તસ્વીર.(૪૫.૩)

(12:22 pm IST)