Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઇ

સુત્રાપાડા, કોડીનાર વેરાવળ તાલુકાના ૮ ગામોમાં તાલીમ કાર્યક્રમો યોજાયા

પ્રભાસ પાટણ તા.ર૩: ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવેલ વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાનાં ૮ ગામોમાં સ્વચ્છતાલક્ષી જુદા-જુદા કાર્યક્રમ યોજાયા હતા.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ગ્રામ પંચાયતો દ્વારા વિવિધ ગામોમાં વેરાવળ તાલુકાનાં હસનાવદર, ઉમરાળા, નવાપરા, ઇણાજ, સુત્રાપાડા તાલુકાનાં કડસણા અને કોડીનાર તાલુકાના ફરેડા, નાનાવાડા અને વિઠલપૂર ગામે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અનુલક્ષીને કાર્યક્રમ યોજાયા હતા.

આ કાર્યક્રમોમાં સરપંચ, ઉપસરપંચ, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતનાં સદસ્યો, વિદ્યાર્થી, શિક્ષકગણ ગ્રામજનોએ હાજરી આપેલ હતી. (૧૧.૩)

(12:17 pm IST)