Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

મોરબીના પાનેલી ગામે પરણિતા ચેતનાબેન ટીડાણીનો આપઘાત

બે મહિના પૂર્વે રિસામણેથી પરત આવેલી : સળગી જઇ જીવ આપી દીધો

મોરબી,તા.૨૩ : મોરબીના પાનેલી ગામમાં પરિણીતાએ સળગી જઇ આપઘાત કરી લીધો હતો.

 મોરબીના પાનેલી ગામના રહેવાસી ચેતનાબેન મોહનભાઈ ટીડાણી (ઉ.વ.૨૬) નામની પરિણીતાએ પોતાના ઘરે કેરોસીન છાંટી આપદ્યાત કરતા તેને સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં તેનું મોત થયું છે જે મૃતક પરિણીતા બે મહિના અગાઉ ઘર છોડી જતા રહ્યા હોય અને ઘરના સભ્યો સમજાવી સાસરે મૂકી આવ્યા હતા. જોકે અવારનવાર પિયરથી ઠપકો આપતા અને ઘર છોડી જવા બાબતે ગામમાં વાતો થતી હોય જેથી લાગી આવતા પરિણીતાએ આયખું ટુંકાવ્યું હતું તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(1:15 pm IST)