Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

કોરોના વાયરસનો પ્રકોપ દૂર થાય તે માટે વીરપુરમાં વૃધ્ધ માવતરોએ વિશ્વશાંતિ યજ્ઞ કર્યોઃ

વીરપુર (કિશોર મોરબીયા):  સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની ઝપટે ચડ્યું છે ત્યારે જલારામ બાપાની પવિત્રભૂમિ પર આવેલ માવતર વૃદ્ઘાશ્રમ ખાતે રહેતા વૃદ્ઘોએ 'ધર્મો રક્ષતિ રક્ષિત' તે વિચારે વિશ્વ શાંતિ તેમજ કોરોના વાયરસના પ્રકોપથી બચવા અને તેને નેસ્તે નાબુદ કરવા ધર્મના રસ્તે પ્રકૃતિ જેનામાં સમાયેલ છે તેવા વિષ્ણુ ભગવાનનો વિષ્ણુ યજ્ઞ કર્યો હતો.કોરોના વાયરસથી રક્ષણ મળે છે તેવા કપૂર, લવીંગ તેમજ નવ પ્રકારના કાસ્ટ જે વાતાવરણને શુદ્ઘ કરે છે તથા ખાસ પ્રકારની આયુર્વેદિક વસ્તુઓ વગેરેને હોમી તેની આહુતિ આપવામાં આવી હતી.

(10:13 am IST)