Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સૌરાષ્ટ્રમાં બે અલગ અલગ બનાવમાં ચાર લોકોના મૃત્યુ

દ્વારકા-પોરબંદર હાઇવે પર દંપત્તિનું મોત : જોધપર ગામની સીમમાં સાત વર્ષની બાળા અને આધેડનું અકસ્માતમાં મોત : બનાવને પગલે પંથકમાં ભારે અરેરાટી

અમદાવાદ, તા.૨૩ :     સૌરાષ્ટ્રમાં આજે બે અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા હતા. જેમાં કુલ ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે એક બાળકીની હાલત ગંભીર છે. રાજકોટ જિલ્લાના જોધપર ગામની સીમમાં આજે અકસ્માત સર્જાયો હતો. સવારે પરગામ લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે મહંમદહુસેન આહમદભાઈ ખોરજીયા પોતાના પરિવાર સાથે જઈ રહ્યાં હતાં. ત્યારે આઈસર સાથે અકસ્માત સર્જાતા મહંમદહુસેનભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે માસૂમ ૭ વર્ષની બાળાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

        કાર અકસ્માતમાં દંપત્તિનું મોત દ્વારકા પોરબંદર હાઈવે પર હર્ષદ નજીક આજે બપોરે બરોડા પાસિંગની કાર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપત્તીનું મોત નીપજ્યું હતું. જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ બંને બનાવોને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સાથે સાથે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સ્થાનિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

(9:24 pm IST)