Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ખંભાળિયાના બજાણામાં કેરોસીન છાંટી સળગી જતાં ૧૦ર વર્ષિય વૃધ્ધાનું મોત

ખંભાળિયા તા. ર૩: તાલુકાના બજાણા ગામે રહેતા રાણીબેન ખીમાભાઇ કનારા (ઉ.વ. ૧૦ર) ના એ કોઇ અગમ્ય કારણોસર ઘરમાં શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી સળગી જતાં મોત નિપજયું હતું. આ અંગે કારાભાઇ નગાભાઇ કનારા રહે. ગોકુલનગર જામનગર વાળાએ પોલીસમાં જાહેર કર્યું છે.

ઉગમણાબારામાં જુગાર

ઉગમણા બારા ગામે નદીના વોંકળામાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દોલુભા ગગજી જાડેજા, તોગાજી સાહેબજી જાડેજા, જેઠુભા બચુભા જાડેજાને રોકડ રૂ. ૩ર૩૦ ની મતા સાથે ઝડપી પાડયા હતા. જયારે બાબભા પુંજાજી જાડેજા, રાજભા ખેંગારજી જાડેજા, જગદીશસિંહ બાબભા જાડેજા, મેદુભા મુરૂજી જાડેજા, બનુભા ભોજરાજસિંહ જાડેજા, ભરતસિંહ બાબભા ચાવડા નાશી છુટતા તમામ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી સલાયા મરીન પોલીસ દ્વારા કરવામાં આવી છે.

(12:13 pm IST)