Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

બાબરામાં દાઝી જતા શિક્ષીકા નિલમબેન સરવૈયાનું મોતઃ મોચી પરિવારમાં શોક

બે દિવસ પહેલા ગેસમાં ભડકો થતાં દાઝયા'તાઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૩: બાબરામાં વ્હોરા મસ્જીદવાળી શેરીમાં રહેતાં અને પ્રાયમરી સ્કૂલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતાં નિલમબેન અનિલભાઇ સરવૈયા (મોચી) (ઉ.૫૨) તા.૨૧ના રોજ ગેસ પર ચા બનાવતાં હતાં ત્યારે ભડકો થતાં દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પતિ અનિલભાઇ પણ શિક્ષક છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી પરિણીત છે. બનાવથી પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.

(12:03 pm IST)