Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ઉના ટાવર ચોકમાં ઉપવાસીઓને પારણા

ઉના તા. ર૩ : રાષ્ટ્રીય સુર્ય નમસ્કાર સંઘના અગામી નિવૃતી જીઇબી કર્મચારી તથા પૂ.પાંડુરંગ દાદાના વિચારોને વરેલા મનસુખભાઇ બી.જોષીએ ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ કલ્યાણજું કાર્ય થાય તેવા હેતુ સાથે ટાવર ચોક ખાતે ઉપવાસ પર બેસેલા જેમા ઉનાના ભગુભાઇ રાયકંટોર, ગીરીશભાઇ, નરેન્દ્રભાઇ જાની પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.

આ ઉપવાસ મનસુખલાલ જોષીએ વ્યકિતગત રીતે પોતાની વિચારધારા પ્રમાણે જનહિત માટે કરેલ હોવાનું જણાવેલ હતું ત્યારબાદ ઉપવાસના પારણા ડો. ચંદ્રકાંતભાઇ રાવલ અને હર્ષદભાઇ ઓઝાએ કરાવેલ હતા.

(11:58 am IST)