Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

તાલાલા (ગીર)નાં બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરે પૂ. સોભરનદાસ બાપુની પ્રથમ પુણ્યતીથીની ઉજવણી

તાલાલા ગીર, તા., રરઃ તાલાલાના સુપ્રસિધ્ધ બ્રહ્મેશ્વર મંદિરના બ્રહ્મલીન પૂ. શ્રી સોભરનદાસ બાપુની પ્રથમ પુણ્યતીથી ભારે ભકિતભાવ પુર્વક ઉજવાઇ હતી.

આ પ્રસંગે શ્રી ભકત ચિંતામાગી સગીરથી કથા યોજાઇ હતી. ર૦મી રાત્રે ભજન સંધ્યા સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ પુણ્યતીથી નિમિતે સવારે પાદુકા પુજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ર૦૦ થી પણ વધુ સંતો મહંતો સાથે હજારો ભકત -ભાવીકોએ પાદુકા પુજન કર્યુ હતું. ત્યાર બાદ સમુહ પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાઇ-બહેનોએ સમુહમાં પ્રસાદ લીધો હતો.

શ્રી સતનામદાસજી ગુરૂ શ્રી પેલદાસજી તથા ગુરૂ આશ્રમ સોંગાદ્રા ફાટક પાસે આવેલ મંછાદવી આશ્રમના મહંત નિર્મલદાસજી ગુરૂ સંતોષદાસજી બાપુના માર્ગદર્શન હેઠળ જગ્યાના હરીહર ગૃપના  યુવાનો અને અગ્રણીએ સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરી સાથે તાલાલા શહેરના ગૌરવવતા આ કાર્યક્રમને જબરી સફળતા અપાવી હતી.

સાધુ-સંતો - મહંતો તથા ભાવિકોને ગરમી તાપમાં કોઇ મુશ્કેલી પડે નહી માટે આઇસ્ક્રીમ તાજે શેરડીનો રસ તથા ઠંડુ તરબુચનું શહેરમાં વેચાણ કરતા ઠંડા-પીણાના નાના વેપારી ભાઇઓ મંદિરની આગળ અલગ અલગ સ્ટોલ ઉભા કરી કાર્યક્રમમાં આવેલ તમામ ભકત ભાવિકોને આખો દિવસ વિનામુલ્યે શેરડીનો રસ આઇસ્ક્રીમ તથા ઠંડા તરબુચની ડીસો આપી બ્રહક્ષ્મલીન સંત પૂ. શ્રી સોભરનદાસબાપુના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતાં.

(11:33 am IST)