Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

સોમનાથના દરિયામાં બે યુવાનો તણાયા : એકનું મૃત્યુઃ બીજાની શોધ

વેરાવળઃ  સોમનાથ મહાદેવના સાનિધ્યમાં  આવેલ બંધારા નજીકના દરિયામાં નાહવા પડેલા બે મિત્રો પૈકી એકનો મૃતદેહ મળ્યો હતો. જયારે બીજાને શોધવા તરવૈયાઓની મદદ લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહેતા નરેશ લાખાભાઇ (ઉ.ર૦) તથા ભરત સાજનભાઇ (ઉ.ર૧) નામના મિત્રો જુનાગઢમા મહાશિવરાત્રી ઉજવી સોમનાથ ગયા હતા  બપોરે સ્મશાન નજીક બંધારા પાસેના દરિયામાં નાહવા પડયા હતા  યુવાનોને દરિયાઇ મોજાએ તાણી લેતા નરેશ લાખાભાઇનુ ડૂબી જવાથી મૃત્યુ થયું હતુ. જયારે સાથેના યુવાન ભરતની શોધખોળ હાથ ધરાઇ છે.

(1:51 pm IST)