Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જુનાગઢ જિલ્લાના ૮૧ પોલીસ કર્મીઓની આંતરીક બદલી કરતા એસપી સૌરભસિંઘ

જુનાગઢ, તા., ર૩: જુનાગઢ એસપી સૌરભસિંઘ ગઇકાલે વધુ ૮૧ પોલીસ કર્મીઓની આંતરીક બદલી કરી જીલ્લાભરમાં બદલીનો ઘાણવો કાઢયો છે.

જેમાં ૧૩ એએસઆઇ હેડ કોન્સ. ૧ર તેમજ પ૬ પોલીસ કોન્સ. મળી કુલ જીલ્લાભરમાંથી ૮૧ પોલીસ કર્મીઓની આંતરીક બદલી કરવામાં આવી છે. શ્રી સૌરભસિંઘ એ જુનાગઢ શહેરના એબીસી  ડીવીઝન ભવનાથ તેમજ તાલુકા પોલીસ સ્ટેશન ઉપરાંત ભેસાણ વિસાવદર, બિલખા, માંગરોળ, માણાવદર, ચોરવાડ, શીલ, વંથલી, મેંદરડા તેમજ ટ્રાફીક શાખાના પોલીસ કર્મીઓની બદલી કરેલ છે. આ બદલી પામેલ કર્મચારીઓને તાત્કાલીક અસરથી બદલીવાળી જગ્યાએ હાજર થવા ફરમાન કરાયું છે. (૪.૮)

 

(3:18 pm IST)