Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ભાવનગરના વિજ કર્મચારી હરપાલસિંહનો આપઘાત

ભાવનગર, તા. ર૩ : શહેરના મીલીટ્રી સોસાયટી પાછળ આવેલા ચંદ્રોદય પાર્કમાં પ્લોટ નં.-ર માં રહેતા અને જી.ઇ.બી.માં લાઇનમેન તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ ભરતસિંહ જાડેજાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

મરનાર હરપાલસિંહના લગ્ન આઠ વર્ષ પૂર્વે થયેલ અને સંતાનમાં બે પુત્રો છે. આ બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.(૮.૧૩)

 

(11:50 am IST)