Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

રાજ્‍યમાં ૧૮૪ નવા તળાવો બનાવાશે : વિજયભાઇ રૂપાણી

સુજલામ - સુફલામ જળ અભિયાનનો સુરેન્‍દ્રનગરના તરણેતરમાંથી રાજ્‍યવ્‍યાપી પ્રારંભ

વઢવાણ - ગાંધીનગર તા. ૨૩ : મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજયવ્‍યાપી પ્રારંભ પાંચાળ ભૂમિ સુરેન્‍દ્રનગરના તરણેતરથી કરાવ્‍યો છે. જળ ક્રાંતિનું આ અભિયાન સૌરાષ્ટ્ર કચ્‍છ સહિત સુરેન્‍દ્રનગરના સમગ્ર વિસ્‍તારને તૃપ્ત કરશે અને ખેતી માટે પીવા માટે પાણી મળી રહેશે તેવો વિશ્વાસ પણ ᅠતેમણે દર્શાવ્‍યો હતો.

આ વર્ષે સમગ્ર રાજયમાં આ જળ અભિયાન લોક ભાગીદારીથી મિશન મોડમાં ઉપાડીને જળ સંકટ દૂર કરવા રાજય સરકાર પ્રતિબદ્ધ છે. વિજયભાઈ રૂપાણીએ આ અભિયાનથી ગુજરાતને સાચા અર્થમાં સુજલામ સુફલામ મલયજ શિતલામ બનશે એમ પણ ઉમેર્યું હતું.

આ તકે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે, સમગ્ર રાજયમાં કુલ આશરે ૧૩૮૩૪ કામો રૂ. ૩૩૦૦૯ લાખના ખર્ચે હાથ ધરવાનુ આયોજન છે. જેનાથી આશરે ૧૪૦૦૦ લાખ ઘન ફૂટ જથ્‍થાનો જળ સંગ્રહ શક્‍તિમાં વધારો થશે. લોકભાગીદારીથી આશરે ૩૫૨૪ તળાવો, ચેકડેમો, જળાશયો ઉંડા ઉતારવા - ડીસિલ્‍ટીંગની કામગીરી કરવામાં આવશે.

લોકભાગીદારીથી હાથ ધરવાના કામો માટેᅠમાટી-મુરમના ખોદાણના ભાવ રૂ. ૩૦ પ્રતિ ઘનમીટર નક્કી કરવામાં આવેલ છે. જેમાંથી ૬૦% રકમ સરકારશ્રી તથા ૪૦% રકમ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ - દાતાઓ દ્વારા ભોગવવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્‍યું કે, મનરેગા યોજના હેઠળ ૪૨૩૮ તળાવો અને ચેકડેમો ઉંડા કરવા અને પરંપરાગત જળસ્ત્રોતોના નવીનીકરણ કરવાના કામો, માટીપાળા, ખેત તલાવડી જેવા કામો હાથ ધરવામાં આવશે. રાજયમાં આશરે ૧૮૪ નવા તળાવો બનાવવાનુ આયોજન છે. અભિયાન હેઠળ જયાં સરકારી ખરાબાની જમીન ઉપલબ્‍ધ હોય ત્‍યાં પાણીના આવરા બાબતની ખરાઇ કરી તળાવ માટેની જમીન માટે ૭/૧૨માં તબદિલ કરવાની કામગીરી પૂર્ણ કરી જીલ્લાવાર નવા તળાવોનું બાંધકામકરવાનું ᅠઆયોજન કરવામાં આવેલ છે. હયાત તળાવોના વેસ્‍ટવિયરની મરામતના ૨૨૦ કામો તથા ચેકડેમ મરામતના ૧૧૦૪ કામો વિભાગીય રીતે હાથ ધરવાનું આયોજન છે. નર્મદા તેમજ અન્‍ય સિંચાઇ યોજનાઓના નહેર નેટવર્કની આશરે ૧૭૦૦ કિ.મી. લંબાઇની નહેરોમાં સાફ સફાઇ તેમજ ૭૪૦ કિ.મી. લંબાઇની કાંસની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, શહેરી વિસ્‍તારોમાં તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં ᅠરેઇન વોટર હાર્વેસ્‍ટીંગ તેમજ નદીઓ-તળાવોમાં આવતુ પ્રદુષિત પાણી અટકાવવાની કામગીરી તથા તળાવ ચેકડેમ ડી-સીલ્‍ટીંગ વગેરે મળીને કુલ ૬૫૧ કામો હાથ ધરવાનુ આયોજન છે.

વન વિસ્‍તારમાં ચેકડેમ, વનતલાવડી, કન્‍ટુર ટ્રેન્‍ચ, ચેકડેમ રીપેરીંગ, ચકડેમ ડી-સીલ્‍ટીંગ, તળાવ ઉંડા કરવા વગેરે મળીને કુલ ૧૦૭૦ કામો ᅠહાથ ધરવાનુ આયોજન છે.  આ તમામ કામગીરી માટે આશરે ૫૦૦૦ થી વધુ જેસીબી, હિટાચી, પોકલેન તથા ૧૮૦૦૦થી વધુ ટ્રેક્‍ટર - ડમ્‍પરનો ઉપયોગ થનાર છે.

સુજલામ સુફલામ જળ અભિયાનથી જળ સંગ્રહમાં આશરે ૧૪૦૦૦ લાખ ઘન ફૂટ જથ્‍થામાં વધારો થશે. ખોદકામ તથા ડીસિલ્‍ટીંગની કામગીરીથી નીકળનાર માટી-કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમાં તથા સરકારના અન્‍ય વિકાસના કામોમાં થશે.

પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળ સ્‍તર ઉંચા આવશે.  સ્‍થાનિક કક્ષાએ ઘરગથ્‍થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્‍યાઓ હલ થશે. સિંચાઇ વ્‍યવસ્‍થા સુદ્રઢ થશે. ખેત ઉત્‍પાદનમાં વધારો થશે. પર્યાવરણમાં સુધારો થશે અને પાણીનો બગાડ મહદઅંશે ઘટશે. તેમ અંતમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ દેવજીભાઇ ફતેપરા, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:06 pm IST)