Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

અમરેલીના જવેર્લસના વેપારીને ત્યાં ઇન્કમટેક્ષનો સર્વેઃ આઇ.ટી ટીમોએ ત્રાટકી મોડી રાત સુધી સઘન તપાસ કરી

અમરેલી તા.૨૩: અમરેલીમાં માણેકપરામાં આવેલા જાણીતા સોના ચાંદીના વેપારી નિલકંઠ જવેલર્સમાં કઇ કાલે બપોરે ઇન્કમટેક્ષની ટીમો આવી સર્વે હાથ ધર્યો હતો એ મોડી રાત સુધી સર્વેની કામગીરી ચાલી હતી આ સર્વે દરમીયાન શુ મળ્યુ શુ કામગીરી થઇ તે અંગે કોઇ વિગતો મળી નથી પણ સર્વે હાથ ધરાતા અન્ય વેપરીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ઇન્કમટેક્ષ રાજકોટ વિભાગની ટીમો હોવાનું બિન સતાવાર જાણવા મળ્યુ છે. ઇન્કમટેક્ષ દ્વારા સર્વેના પગલે લોકોમાં ભારે કુતલવ જાગ્યો હતો.

(1:16 pm IST)