Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગારીયાધાર દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂનું સ્વાગત

ગારીયાધાર : દાઉદી વ્હોરા સમાજ ધર્મગુરૂ મૌલાના ડો. સૈયદની  ગારીયાધારમાં પધરામણી થઇ હતી. દાઉદી વ્હોરા સમાજના પ૩માં મૌલાના ડો. સૈયદના આલિકદર મુન્ફફદલ સૈફુદીન (તૌ) અને તેમના પરીવાર સાથે ગારીયાધાર ખાતે પહેલીવાર પધરામણી કરવામાં આવી હતી. ડો. સૈયદ મૌલાના દ્વારા વ્હોરા સમાજની મસ્જીદ ખાતે વાઇઝ અને જયાફત જેવા કાર્યક્રમો યોજાયા હતાં. વ્હોરા સમાજના અંજુમને નઝમીન કમીટી અને ગારીયાધાર રાજકોટના બુરહાની ગાર્ડસ દ્વારા કાર્યક્રમોને લઇને ભારે જહેમત ઉઠાવી હતી. જયારે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ મૌલાના ડો. સૈયદના બપોરથી સાંજ સુધી ગારીયાધારની મુલાકાત લઇ પરત ફર્યા હતાં. તેમના આગમનને લઇને વ્હોરા સમાજની મસ્જીદ જુમાતખાના અને સમગ્ર લાતી બજાર બેનરો અને રોશનીથી ઝગમગી ઉઠયા હતાં. (તસ્વીર - અહેવાલ : ચિરાગ ચાવડા ગારીયાધાર)

(11:24 am IST)