Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

આટકોટના મહેન્દ્રભાઇ મહેતાને કાર ચાલકે પાછળથી ઉડાડતા મોત

વિરનગર શિવાનંદ મિશન સંચાલિત આંખની હોસ્પિટલના કર્મચારી ઘરે પગપાળા જઇ રહ્યા હતા ત્યારે દુર્ઘટના

આટકોટ તા.૨૩: આટકોટના રાજગોર બ્રાહ્મણ આધેડ મહેન્દ્રભાઇ નંદલાલભાઇ મહેતાને ગત મોડી સાંજે આટકોટ-વિરનગર રોડ ઉપર પાછળથી ઇકો કારે ઉલાળતા મહેન્દ્રભાઇનું ઘટના સ્થળેજ પ્રાણ પંખેર, ઉડી ગયુ હતુ પરિવારના આધાર સ્થંભનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

આ અંગે આટકોટ પોલિસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિરનગરની શિવાનંદ મિશન દ્વારા સંચાલીત આંખની હોસ્પિટલમાં નોકરી કરતા મહેન્દ્રભાઇ રોજીંદા ક્રમ મુજબ વિરનગરથી આટકોટ ચાલીને ઘરે આવતા હતા એ દરમિયાન નવી ઇકો કારના ચાલકે મહેન્દ્રભાઇને હડફેટે લેતા મહેન્દ્રભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું મોત થયુ હતું.

અત્યંત સરળ સ્વભાવના મહેન્દ્રભાઇ આટકોટમાં સારી લોક ચાહના ધરાવતા હતાં પોતે અપરણિત હતા પરિવારમાં ત્રણ બહેનો અને વૃધ્ધ માતાના આધાર સ્થંભના અચાનક મોતથી બહેનોમાં કાળો કલ્પાંત મચી જવા પામ્યો છે.

આટકોટમાં પણ તેમના નિધનથી બહોળા મિત્ર વર્તુળમાં શોક ફેલાઇ ગયો છે.

અકસ્માતની જાણ થતા જસદણ સરકારી દવાખાને ચેતનભાઇ પંચોલી, ગુણવંત રાજયગુરૂ, ભાવેશ ચોવટીયા, અલ્લારખાભાઇ પરમાર, આરિફ તેરવાડીયા, ધુધાભાઇ માલધારી, હિરેન પંચોલી તેમજ વિરનગર હોસ્પિટલનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયા હતા.

આ બનાવની વધુ તપાસ આટકોના પી.એસ.આઇ. કે.પી.મેતા ચલાવી રહ્યા છે.

(11:40 am IST)