Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ભાવનગર : સંસ્થાના વડિલોના જન્મદિવસની ઉજવણી

ભાવનગર : ભાવનગર ના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામમાં સંસ્થામાં વસતા ૪૦-નિરાધાર અને ની:સહાય એવા એકલવાયુ જીવન જીવતા વડીલોને પોતાના જન્મ દિવસની તારીખ કે દિવસ યાદ ન હોય પરંતુ આ સંસ્થા દ્વારા વડીલો ને રાજી રાખવા તેમજ ઉમંગ અને ઉત્સાહનો વધારો કરવા આજરોજ આ સંસ્થા દ્વારા દરેક વડીલોનો એકસાથે શાનદાર સમૂહ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સંસ્થા છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે. આ સંસ્થા નિરાધાર અને નિૅંસહાય વડીલોને ભૂતકાળના સંસ્મરણો દૂર કરી નવુ જોમ અને ખુશી લાવવાનો હર હંમેશ પ્રયત્ન કરે છે. આ કાર્યક્રમમાં ભાવનગરના ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ શુભદાબેન બક્ષી, અને પાળીયાદ વિસામણબાપુની જગ્યાના ગાદીપતિ વિમળા બા પણ ઉસ્થિત રહ્યા હતા અને વડીલોના આશિર્વાદ મેળવ્યા હતા.(તસ્વીર : વિપુલ હિરાણી,ભાવનગર)

(11:35 am IST)