Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

માણાવદરના મટીયાણા ગામે લગ્નનો સમીયાણો બાંધતા વીજ કરંટ લાગવાથી યુવાનનું મોત

જુનાગઢ, તા., ર૩: માણાવદરના મટીયાણા ગામે લગ્નનો સમીયાણો બાંધતા લાગેલા વીજ કરંટથી એક કોળી યુવાનનું મૃત્યુ થતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.

પ્રાપ્ત થયેલી વિગતો એવી છે કે માણાવદર તાલુકાના મટીયાણા ગામે કોળી પરીવારમાં લગ્ન હોય તેથી સંજય જેન્તીભાઇ સાબરીયા (ઉ.વ.૧૯) વગેરે લગ્ન મંડપ માટે સમીયાણુ બાંધતા હતા ત્યારે આ દરમ્યાન લોખંડનો ઘોડો ફેરવતા ઉપરથી પસાર થતી ૧૧ કેવી વીજ લાઇના જીવંત વાયરમાંથી ઇલેકટ્રીક શોક લાગ્યો હતો. જેના કારણે સંજય સહિત બે વ્યકિત દાઝી ગયા હતા.

આ બંન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલીક માણાવદરની સરકારી હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના ડો.એસ.પી.હડીયાએ સંજય સાબરીયાને મૃત જાહેર કર્યો હતો.

(4:09 pm IST)