Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

બેંક ઓફ બરોડાની દોલતપરા બ્રાંચના મેનેજર સહિત ૪ શખ્સોનો વિશ્વાસઘાત

જામીનગીરી બદલવાના ફોર્મમાં ખોટી સહી કરેલ

જુનાગઢ તા. ૨૩ : બેંક ઓફ બરોડાની દોલતપરા બ્રાંચના મેનેજર સહિત ૪ શખ્સોએ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ થતાં ચકચાર મચી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, તાલાલાના બોરવાવ ગામે રહેતા હરેશ વજુભાઇ પાઘડારે સુભાષ ત્રિકમભાઇ ગધેસરીયા, લલીત છગન પાનસુરીયા, મોહન પ્રેમજી ધોરાજીયા અને જુનાગઢના દોલતપરા ખાતેની બેંક ઓફ બરોડા બ્રાંચના મેનેજર દિપક મુળશંકર વિરૂધ્ધ જુનાગઢ એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ કરી છે. જેમાં આ શખ્સોએ બેંકમાં એક લોન કેસમાં જામીનગીરી બદલવાના ફોર્મમાં હરેશ પાઘડારની બોગસ સહી કરી વિશ્વાસઘાત કર્યાનું જણાવેલ છે. આ ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પી.આઇ.વાળા ચલાવી રહ્યા છે.

(4:08 pm IST)